કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ ખાતાના કર્મચારી દ્વારા લાંચ રૂશ્વત ની માગણી કરવામાં આવે ત્યારે તે વ્યક્તિની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે સરકારે લાંચ રૂશ્વત વિરોધી ખાતાની રચના કરેલી છે. જેની મુખ્ય ઓફિસ અમદાવાદ ખાતે શાહીબાગમાં છે, જ્યારે રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, વડોદરા અને સુરત ખાતે વિભાગીય કચેરીઓ આવેલી છે જેમાં નાયબ પોલીસ અધિકારી કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. તેમ જ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, પાટણ, આણંદ, ખેડા, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ગોધરા, સુરત શહેર, સુરત ગ્રામ્ય, ભરૂચ, વલસાડ અને ડાંગ, તાપી-વ્યારા, નવસારી, નર્મદા-રાજપીપળા, દાહોદ, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ(પશ્વિમ) ભૂજ, કચ્છ(પૂર્વ) ગાંધીધામ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર અને અમરેલી ખાતે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના પોલીસ સ્ટેશનો આવેલા છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. કોઈ પણ ખાતાના કર્મચારી વિરુદ્ધની લાંચ રૂશ્વત સંબંધી ફરિયાદ તેઓને આપી શકે છે.
લાંચ રૂશ્વત અંગેની ફરિયાદ કોઈ પણ મદદનીશ નિયામક (નાયબ પોલીસ અધીક્ષક) કક્ષાના અધિકારી અથવા પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ જાહેર જનતા પોતાની ફરિયાદ આપી શકે છે.
|